જયોતિષશાસ્ત્રનો અભ્યાસ અને એ જ્ઞાનનો લોક લાભાર્થે ઉપયોગ કર્યા બાદ મારો એ નિષ્કર્ષ છે કે, પૃથ્વી પર સુખસગવડની ઝંખના કરતો માનવી ખરેખર સુખી જોવા મળતો નથી. દરેક વ્યકિત શારીરિક, માનસિક કે આર્થિક બાબતે હંમેશા ચિંતિત જોવા મળે છે. ચિંતા અને શોકથી ઘેરાયેલ વિશ્વના દર સો વ્યકિતમાંથી પાંચ થી દસ વ્યકિતઓ માનસિક અસ્થિરતાના ભોગ બને છે. જેના કારણે આત્મહત્યા તેમજ હૃદયને લગતા રોગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. માનવીનું વ્યસન પ્રત્યેનું બંધારણ પણ માનસિક સમસ્યાનો જ એક ભાગ છે. મનુષ્યની વર્તમાન પરિસ્થિતિ જોતાં તેના નિરાકારણના ઉપાયો વિશે મનોમંથન થતું રહેતું હતું; અને આ માટે શાસ્ત્રોના અભ્યાસ કરતાં જણાયું કે મનુષ્યનો જન્મ આત્મકલ્યાણ અર્થે થયો છે; પરંતુ માનવી આ તથ્ય તેમજ જીવનને સાચી રીતે સમજી શકયો નથી. ખરેખર હિંદુ ધર્મએ જીવનના મહત્ત્વના અને ઉપયોગી કહી શકાય એવા લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ ચાર લક્ષ્યાંકોને શાસ્ત્રમાં પુરૂષાર્થ તરીકે ઓળખાવ્યા છે. આ ચાર પુરૂષાર્થ છે. ધર્મ-અર્થ-કામ અને મોક્ષ.
વધુ વાંચો"Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed
"Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed
"Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed
"Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed
"Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed
"Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed
"Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed
"Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed
આપણા પ્રાચીન ઋષિમુનિઓએ તેમના તપોબળ, અભ્યાસ અને નિરીક્ષણ દ્વારા માનવ ઉપયોગી થઈ શકે એવા અનેક શાસ્ત્રોની રચના કરી હતી. જેવા કે યોગશાસ્ત્ર, વેદ, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ, જયોતિષશાસ્ત્ર વગેરે. તે ઉપરાંત પુરાણોની રચના માનવકલ્યાણ માટે એક અમૂલ્ય છે. પરંતુ બહુ જ દુઃખનું કારણ કહેવાય કે, આપણા ઋષિમુનિઓ દ્વારા રચિત વિશિષ્ટ જ્ઞાન પર આધારિત શાસ્ત્રોનું આજના કથિત ગુરુઓ દ્વારા અધકચરું જ્ઞાન સાથે વેપારીકરણ થઈ રહ્યું છે.
વધુ વાંચોઆજના આધુનિક યુગમાં વિજ્ઞાને અનેક સંશોધનો અને આવિષ્કારો દ્વારા જીવનની કાયાપલટ કરી છે. હાલમાં વિજ્ઞાન માનવજાતિના સુખ-સગવડ માટે નવા-નવા સાધનોનું સર્જન કરી રહ્યું છે. જેની આપણે કે આપણા પૂર્વજોએ કદી કલ્પના પણ કરી ન હોય. પરંતુ પ્રદૂષિત હવા, પાણી અને વાતાવરણ પર આ આધુનિક વિજ્ઞાનની આડઅસર થઈ રહી છે; જેના કારણે આજના યુવાનોના શરીર, મન તથા બુદ્ધિ ઉપર તેની વિપરીત અસર ચોક્કસપણે જોઈ શકાય છે. આજના યુવાનોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે.
વધુ વાંચોસ્વસ્થ અને આધ્યાત્મિક જીવન જીવવા માટે શારીરિક અને માનસિક રીતે નીરોગી રહેવું અનિવાર્ય છે. આના કારણે જ યોગસધાનામાં આસન-પ્રાણાયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી સાધના દરમ્યાન શરીર અને મનની સ્વસ્થતા જળવાય રહે; પરંતુ શરીરના સ્વાસ્થય માટે આસન-પ્રણાયામ ઉપરાંત આયુર્વેદનું પણ મહત્ત્વ ઓછું ન આંકી શકાય. આયુર્વેદ માત્ર ચિકિત્સાવિજ્ઞાન કે ઔષધિનું શાસ્ત્ર નથી; પરંતુ મનુષ્ય કઈ રીતે નીરોગી રહી આયુષ્યની વૃદ્ધિ કરી શકે એ બાબતનું જ્ઞાન આપતું શાસ્ત્ર છે.
વધુ વાંચોધર્મનું પાલન-આર્થિક વિકાસ, ઈચ્છા અને મોક્ષ એ ચાર પુરુષાર્થ/ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે.